ઇમામને અરીઝા લખવો એ એક અસરકારક સાધન છે અને તેના જબરદસ્ત અને આશ્ચર્યજનક અસરો છે, કારણ કે જેમ વર્ણવાયું છે તેમ આપણા ઈમામ તેમના ચાહકો પ્રતિ ખૂબ જ કરુણાશીલ છે. મેં વ્યક્તિગત રૂપે ઘણી વાર તેમને (અ.સ.) અરીઝા લખ્યો છે અને મેં જબરદસ્ત અને આશ્ચર્યજનક અસર જોઈ છે.
આપણા ઈમામ , ઝમાના ના ઈમામ (અ.સ.)ને અરીઝા કેવી રીતે લખવો?
અમે જે ઉલ્લેખ કરીશું તે બધું લખો અને તેને કોઈપણ ઇમામ (અ.સ.)ના રોઝા (મખ્ફેર)માં નાખો અથવા તેને લપેટીને પાક માટી (ખાક) સાથે ઢાંકીને ત્યાં નાખો, અથવા તેને નદી અથવા ઊંડા કૂવા અથવા પાણીના તળાવમાં નાખો, નિઃશંક તે ઝમાનાના ઈમામ (અ.સ.) સુધી પહોંચશે, તે વ્યક્તિગત રૂપે તમારી માંગણીઓની જવાબદારી લેશે.
નીચે લખો:
بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બિસ્મિલ્લાહિર રહમાનીર રહીમ
كَتَبْتُ يَا مَوْلَايَ صَلَوَاتُ اللهِ عَلَيْكَ مُسْتَغِيْثًا، وَشَكَوْتُ مَا نَزَلَ بِيْ مُسْتَجِيْرًا بِاللهِ عَزَّوَجَلَّ، ثُمَّ بِكَ مِنْ اَمْرٍ قَدْ دَهَمَنِيْ، وَاَشْغَلَ قَلْبِيْ، وَاَطَالَ فِكْرِيْ، وَسَلَبَنِيْ بَعْضَ لُبِّيْ، وَغَيَّرَ خَطِيْرَ نِعْمَةِ اللهِ عِنْدِيْ، اَسْلَمَنِيْ عِنْدَ تَخَيُّلِ وُرُوْدِهِ الْخَلِيْلُ، وَتَبَرَّاَ مِنِّيْ عِنْدَ تَرَاۤئِيْ اِقْبَالِهِ اِلَيَّ الْحَمِيْمُ، وَعَجَزَتْ عَنْ دِفَاعِهِ حِيْلَتِيْ، وَخَانَنِيْ فِيْ تَحَمُّلِهِ صَبْرِيْ وَقُوَّتِيْ۔
કતબ્તુ યા મવલાય સલવાતુલ્લાહિ અલયક મુસ્તગીસન વ શકવ્તુ મા નઝલ બી મુસ્તજીરન બિલ્લાહિ અઝ્ઝ વ જલ્લ સુમ્મ બિક મિન અમ્રિં કદ દહમની વ અશ્ગલ કલબી વ અતાલ ફિકરી વ સલબની બઅદ લુબ્બી વ ગય્યર ખતીર નિઅમતિલ્લાહિ ઇન્દી અસ્લમની ઇન્દ તખય્યુલ વુરૂદિહિલ ખલીલુ વ તબર્રઆ મિન્ની ઇન્દ તરાઈ ઇક્બાલિહી ઇલય્યલ હમીમુ વ અજઝત અન દિફાઇહી હીલતી વ ખાનની ફી તહમ્મુલિહી સબ્રી વ કુવ્વતી
فَلَجَاْتُ فِيْهِ اِلَيْكَ، وَتَوَكَّلْتُ فِي الْمَسْاَلَةِ للهِ جَلَّ ثَنَاۤؤُهُ عَلَيْهِ وَعَلَيْكَ فِيْ دِفَاعِهِ عَنِّيْ، عِلْمًا بِمَكَانِكَ مِنَ اللهِ رَبِّ الْعَالَمِيْنَ، وَلِيِّ التَّدْبِيْرِ وَمَالِكِ الْاُمُوْرِ، وَاثِقًا بِكَ فِي الْمُسَارَعَةِ فِي الشَّفَاعَةِ اِلَيْهِ جَلَّ ثَنَاۤؤُهُ فِيْ اَمْرِيْ، مُتَيَقِّنًا لِاِجَابَتِهِ تَبَارَكَ وَتَعَالٰى اِيَّاكَ بِاِعْطَاۤئِيْ سُؤْلِيْ۔
ફ લજાઅતુ ફીહિ ઇલયક વ તવક્કલ્તુ ફીલ મસાઅલતિ લિલ્લાહિ જલ્લ સનાઉહુ અલયહિ વ અલયક ફી દિફાઇહી અન્ની ઇલ્મન બિ મકાનિક મિનલ્લાહિ રબ્બિલ આલમીના વલિય્યિત તદબીરિ વ માલિકિલ ઉમૂરિ વાસિકન બિક ફીલ મુસારાઅતિ ફીશ શફાઅતિ ઇલયહિ જલ્લ સનાઉહુ ફી અમ્રી મુતયક્કિનં લિ ઇજાબતિહિ તબારક વ તઆલા ઇય્યાક બિ ઇઅતાઇ સુલી
وَاَنْتَ يَا مَوْلَايَ جَدِيْرٌ بِتَحْقِيْقِ ظَنِّيْ، وَتَصْدِيْقِ اَمَلِيْ فِيْكَ، فِيْ اَمْرِ كَذَا وَكَذَا
વ અન્ત યા મવલાય જદીરુન બિ તહકીકિ ઝન્ની વ તસ્દીકિ અમલી ફીક ફી અમ્રિ કઝા વ કઝા
પછી તમારી દુઆઓ લખો :
فِيْمَا لَا طَاقَةَ لِيْ بِحَمْلِهِ، وَلَا صَبْرَ لِيْ عَلَيْهِ، وَاِنْ كُنْتُ مُسْتَحِقًّا لَهُ وَلِاَضْعَافِهِ بِقَبِيْحِ اَفْعَالِيْ، وَتَفْرِيْطِيْ فِي الْوَاجِبَاتِ الَّتِي للهِ عَزَّوَجَلَّ۔
ફીમા લા તાકત લી બિ હમ્લિહી વ લા સબ્ર લી અલયહિ વ ઇન કુન્તુ મુસ્તહિક્કન લહુ વ લિ અદઆફિહી બિ કબીહિ અફઆલી વ તફ્રીતી ફીલ વાજિબાતિલ લતી લિલ્લાહિ અઝ્ઝ વ જલ્લ
فَاَغِثْنِيْ يَا مَوْلَايَ صَلَوَاتُ اللهِ عَلَيْكَ عِنْدَ اللَّهْفِ، وَقَدِّمِ الْمَسْاَلَةَ للهِ عَزَّوَجَلَّ فِيْ اَمْرِيْ، قَبْلَ حُلُوْلِ التَّلَفِ، وَشَمَاتَةِ الْاَعْدَاۤءِ، فَبِكَ بُسِطَتِ النِّعْمَةُ عَلَيَّ۔ وَاَسْاَلِ اللهَ جَلَّ جَلَالُهُ لِيْ نَصْرًا عَزِيْزًا، وَفَتْحًا قَرِيْبًا، فِيْهِ بُلُوْغُ الْاٰمَالِ، وَخَيْرُ الْمَبَادِيْ، وَخَوَاتِيْمُ الْاَعْمَالِ، وَالْاَمْنُ مِنَ الْمَخَاوِفِ كُلِّهَا فِيْ كُلِّ حَالٍ، اِنَّهُ جَلَّ ثَنَاۤؤُهُ لِمَا يَشَاۤءُ فَعَّالٌ، وَهُوَ حَسْبِيْ وَنِعْمَ الْوَكِيْلُ فِي الْمَبْدَءِ وَالْمَالِ۔
ફ અગિસની યા મવલાય સલવાતુલ્લાહિ અલયક ઇન્દલ લહ્ફિ વ કદ્દિમિલ મસાઅલત લિલ્લાહિ અઝ્ઝ વ જલ્લ ફી અમ્રી કબ્લ હુલૂલિત્ તલફિ વ શમાતતિલ અદાઇ ફ બિક બુસિતતિન નિઅમતુ અલય્ય વ અસ્અલિલ્લાહ જલ્લ જલાલુહુ લી નસ્રન અઝીઝન વ ફત્હન કરીબન ફીહિ બુલૂગુલ આમાલિ વ ખયરુલ મબાદી વ ખવાતીમુલ આમાલિ વલ અમ્નુ મિનલ મખાવિફિ કુલ્લિહા ફી કુલ્લિ હાલિ ઇન્નહુ જલ્લ સનાઉહુ લિમા યશાઉ ફઆલુ વ હુવ હસબી વ નિઅમલ વકીલુ ફીલ મબ્દઇ વલ માલ
પછી તમે નદી અથવા કોઈ ઊંડી ખીણ પર જવાની નિયત કરો અને કોઈ એક દરવાજા (પ્રતિનિધિ) પર ભરોસો રાખો, જેમ કે:
ઉસમાન બિન સૈયદ અલ-અમ્રી (અ.પ.) નો દરવાજો
અથવા તેમના પુત્ર, મુહમ્મદ બિન ઉસમાન (અ.પ.) નો દરવાજો
અથવા અલ-હુસેન બિન રૂહ (અ.પ.) નો દરવાજો
અથવા અલી બિન મુહમ્મદ અસ-સમરી (અ.પ.) નો દરવાજો
આ ઇમામ મહદી (અ.સ.)ના દરવાજા (પ્રતિનિધિઓ) છે.
જ્યારે અરીઝા નાખવાની નિયત કરો, ત્યારે તેમાંથી કોઈ એકનો ઉલ્લેખ કરો અને નીચેની દુઆ પઢો:
يَا فُلَانَ بْنَ فُلَانٍ سَلَامٌ عَلَيْكَ، اَشْهَدُ اَنَّ وَفَاتَكَ فِيْ سَبِيْلِ اللهِ، وَاَنَّكَ حَيٌّ عِنْدَ اللهِ مَرْزُوْقٌ، وَقَدْ خَاطَبْتُكَ فِيْ حَيَاتِكَ الَّتِيْ لَكَ عِنْدَ اللهِ جَلَّ وَعَزَّ، وَهٰذِهِ رُقْعَتِيْ وَحَاجَتِيْ اِلٰى مَوْلَانَا عَلَيْهِ السَّلَامُ، فَسَلِّمْهَا اِلَيْهِ، فَاَنْتَ الثِّقَةُ الْاَمِيْنُ۔
યા ફુલાન બ્ન ફુલાન સલામુ અલયક અશ્હદુ અન્ન વફાતક ફી સબીલિલ્લાહિ વ અન્નક હય્યુન ઇન્દલ્લાહિ મરઝૂકુન વ કદ ખાતબ્તુક ફી હયાતિકલ લતી લક ઇન્દલ્લાહિ જલ્લ વ અઝ્ઝ વ હાઝિહિ રુકઅતી વ હાજતી ઇલા મવલાના અલયહિસ સલામ ફ સલ્લિમહા ઇલયહિ ફ અન્તસ સીક્તુલ અમીન
પછી તમે તેને નદી અથવા ઊંડા કૂવા અથવા તળાવમાં નાખો, અલ્લાહની ઇચ્છાથી તમારી માંગ પૂરી થશે.
આલમા મજલિસી (અ.પ.) એ "પછી તેને નદીમાં નાખો" ના વર્ણન પછી ઉમેર્યું છે: તમે કલ્પના કરો કે જાણે તમે તેને ઇમામ (અ.સ.) સુધી પહોંચાડી રહ્યા છો, તે તેમને પહોંચશે અને અલ્લાહની ઇચ્છાથી તમારી દુઆ પૂરી થશે.
નૂરી નામના એક વર્ણનકારે કહ્યું: આ પાક પરંપરાથી અનુમાન લગાવી શકાય છે કે આ ચાર મહાન પાક વ્યક્તિઓ (ઇમામના ચાર વિશેષ પ્રતિનિધિઓ), જેઓ નાની ગયબત દરમ્યાન ઇમામ (અ.સ.) અને તેમના અનુયાયીઓ વચ્ચે મધ્યસ્થી કરતા હતા, તે લોકોની માંગણીઓ તેમને પહોંચાડતા અને તેમના જવાબો પાછા આપતા. મોટી ગયબત દરમ્યાન પણ તેઓ આ જ સ્થિતિ જાળવી રાખે છે.
આ દિશામાંથી આપણે સમજી શકીએ છીએ કે ઇમામ (અ.સ.)નો ભલાઈ, ઉદારતા, દાનશીલતા, અનુગ્રહ અને ઉપકારનો મેજ પૃથ્વીના દરેક ખૂણામાં ફેલાયેલો છે - નબળાઓ, મુશ્કેલીમાં ફસાયેલાઓ અને સાચો માર્ગ ન મેળવી શકતા ભટકતા લોકો માટે.
જ્યારે એક અજ્ઞાન વ્યક્તિ તેમની પાસે માંગ કરશે, તો તે તેમના પાક જ્ઞાનમાંથી પી શકશે; જો કોઈ તેનો માર્ગ ખોવી બેઠો, તો તે તેને માર્ગદર્શન આપશે; જ્યારે કોઈ બીમાર હશે, તો તે તેને સ્વસ્થતાનો પોશાક પહેરાવશે, જેમ કે શરૂઆતથી જ સ્પષ્ટ રૂપે જણાવવામાં આવ્યું છે.
આ સંદર્ભમાં પરિણામ એ છે કે સમયના ઈમામ (અમારી જાન તેમના પર કુરબાન થાય) બંદાઓ વચ્ચે હાજર છે અને તેમના અનુયાયીઓ પર નજર રાખે છે, અને તે મુશ્કેલીઓને ઓળખવામાં સક્ષમ છે અને તે બધી છુપી અને ગુપ્ત બાબતોથી પરિચિત છે. તેમણે તેમની ગયબત ને કારણે તેમની સ્થિતિમાંથી પોતાને અલગ થયેલા નથી રાખ્યા.