ગુસ્લે મસે મય્યત

સ્લે મસે મય્યત  

જો કોઈ વ્યક્તિ, જાણતાં-અજાણતાં, ઇચ્છાપૂર્વક અથવા અનિચ્છાપૂર્વક, મય્યત ના કોઈ પણ ભાગનેહાડકાં સહિત (પરંતુ મય્યતના વાળ સિવાય) – જે સંપૂર્ણપણે ઠંડું થઈ ગયું હોય અને જેને હજી સુધી ગુસલ-એ-મય્યત ન આપવામાં આવ્યું હોય, તો તેને સ્પર્શ કરે, તો તે વ્યક્તિ માટે ગુસલ-એ-મસે મય્યત (મય્યત શરીરના સ્પર્શથી ગુસલ) કરવું વાજિબ (ફરજ) છે. 

જો કોઈ વ્યક્તિ એવા મૃત શરીરને સ્પર્શ કરે જે સંપૂર્ણપણે ઠંડું થયું ન હોય, ભલે તેના દ્વારા સ્પર્શ કરેલ શરીરનો ભાગ ઠંડો હોય, તો ગુસલ-એ-મસે મય્યત વાજિબ નથી. 

જે લોકો મય્યતમાટે ગુસલ-એ-મય્યત કરે છે અથવા તેને ત્રણ ગુસલ આપવામાં આવે તે પહેલાં શરીરને હાથ લગાડે છે, તેઓ માટે કોઈ પણ નમાઝ પઢવા અથવા કુરઆનને સ્પર્શ કરવા પહેલાં ગુસલ-એ-મસે મય્યત કરવું વાજીબ છે. જો કે, જો હાથમાં દસ્તાના  પહેર્યા હોય અને વ્યક્તિએ શરીરને ખુલા હાથે સ્પર્શ ન કર્યો હોય, તો ગુસલ એ મસે મય્યત કરવું જરૂરી નથી. 

રીત 

ગુસલ-એ-મસે મય્યત કરવાની રીત અન્ય તમામ વાજિબ અને મુસ્તહબ ગુસલો જેવી જ છે. 

  1. પહેલું: માથા અને ગરદન સુધી ધોવું. માથું ધોતી વખતે ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે પાણી વાળના મૂળ (જડો) સુધી પહોંચે. 
  1. બીજું: શરીરની જમણી બાજુ, આગળ અને પાછળ, ખભાથી પગ સુધી ધોવી, ખાતરી કરો કે પાણી ગરદનના ભાગને પણ ઢાંકે. 
  1. ત્રીજું: શરીરની ડાબી બાજુ, આગળ અને પાછળ, ખભાથી પગ સુધી ધોવી, ફરીથી ખાતરી કરો કે પાણી ગરદનના ભાગને પણ ઢાંકે. 

ઉપરોક્ત ક્રિયા એવી રીતે કરવી જોઈએ કે પાણી ત્વચાના તમામ ભાગો સુધી પહોંચે.