રજબની 8 મી રાત ની નમાઝ

 

 

હઝરત રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત છે કે જો કોઈ માહે રજબ ની આઠમી રાત્રે બે-બે રકાત કરીને 20 રકાત નમાઝ પઢે,કે કે જેની દરેક રકાતમાં એક વખત સુરએ અલહમ્દ પછી ત્રણ વખત સુરએ તોહીદ પઢે, ત્રણ વખત સુરએ કાફેરૂન ત્રણ વખત સુરએ ફલક ત્રણ વખત સુરએ નાસ પઢે, તો અલ્લાહ તેને શાકેરીન (શુક્ર કરવાવાળોઓ) અને સાબેરીન (સબ્ર કરવાવાળોઓ) નો સવાબ અતા કરે, અને સિદીકીન (સાચચાઓ) માં તેનું નામ બુલંદ કરે, દરેક હરફના બદલામાં દરેક સિદીક અને શહીદનો અજર અતા કરે,અને જાણે માહે રમઝાનમાં કુરઆન ખત્મ કર્યુ હોય (તે સવાબ મળે),અને જ્યારે કબ્રમાંથી બહાર આવશે ત્યારે 70 હજાર ફરીશતાઓ તેની મુલાકાત કરશે અને તેઓ તેને જન્ન્ત ની ખુશખબરી આપશે,અને જન્ન્ત તરફ તેને લઈ જશે