હઝરત રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત છે કે જો કોઈ માહે રજબ ની સોળમી રાત્રે બે-બે રકાત કરીને ૩૦ રકાત નમાઝ પઢે,કે જેની દરેક રકાતમાં એક વખત સુરએ અલહમ્દ પછી 10 વખત સુરએ તોહીદ પઢે તો નમાઝ પૂરી થયા પેહલા જ 70 શહીદોનો સવાબ અતા કરવામા આવશે,ક્યામતનાં દિવસે તે નુરાની શકલમાં આવશે, અને મક્કા અને મદીના વચ્ચેની જગ્યા જેવું દેખાશે,અલ્લાહ તેને જહન્નમની આગથી,નિફાકથી અને કબ્રનાં અઝાબથી છુટકારો આપશે.