પુરા માહે શાબાનમાં ગમે ત્યારે 4 રકાત નમાઝ પડે બે-બે કરીને દરેક રકાતમાં સુરએ-અલ-હમદ પછી ૫૦ વખતસુરએ તૌહીદ પડે.
હ.રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત મળે છે “જો કોઈ વ્યક્તિ શાબાન મહિનામાં આ પઢે છે, તો મૃત્યુ દરમિયાન તેની રૂહ સરળતાથી દૂર થઈ જશે, અને તેની કબર વિશાળ થઈ જશે, અને કિયામતના દિવસે જ્યારે તે કબરમાંથી બહાર આવશે, ત્યારે તેનો ચહેરો પૂર્ણ ચંદ્ર જેવો ચમકતો હશે અને તેના હોઠ પર ‘કલમે શહાદત’ હશે.”