મય્યત ને કફન આપવું 

મય્યત ને કફન આપવું 

 

ત્રીજો વાજિબ કામ છે કફન . આ ત્રણ વાજિબ અને અનેક મુસ્તહબ  કપડાના ટુકડાઓ સાથે કરવામાં આવે છે, જેની વિગતો નીચે આપેલ છે. 

વાજિબ ટુકડાઓ 

ઇસ્લામી શરિયત મુજબ, કફનના નીચેના ટુકડાઓ ફરજિયાત (વાજીબ) છે: 

  1. લંગોટી (લુંગી): આ કપડાનો ટુકડો શરીરના આગળ અને પાછળના ભાગને નાભીથી ઘૂંટણ સુધી ઢાંકે છે. જો કે, એ ભલું માનવામાં આવે છે કે આ કપડું છાતીથી પગ સુધી ઢાંકે એટલું લાંબું હોવું જોઈએ. 
  1. શર્ટ (કુર્તા): આ કપડાનો ટુકડો એક લાંબા શર્ટ જેવો હોય છે જે શરીરને ખભાથી ઘૂંટણ સુધી, શક્ય હોય તો ગોઠણ સુધી ઢાંકે . 
  1. ચાદર: આ કપડાનો એક મોટી ચાદર  છે જે સમગ્ર શરીરને ઢાંકે છે. એ ભલું માનવામાં આવે છે કે તે એટલો લાંબો અને પહોળો હોવો જોઈએ કે આગળ અને પાછળના ભાગ એકબીજા પર ઓવરલેપ થાય અને ઉપર અને નીચેના છેડા, તેમજ છાતી અને નિતંબની આસપાસ દોરડીથી સુરક્ષિત રીતે બાંધી શકાય. 

મુસ્તહબ ટુકડાઓ 

ઇસ્લામી શરિયત મુજબ, કફનના નીચેના ટુકડાઓ ફરજિયાત નથી પરંતુ ભલા માનવામાં આવેલ છે: 

  • જાંઘિયો : આ કપડાનો ટુકડો છે જે પર કપુર છાંટવામાં આવે છે અને તે ખાનગી અંગોના સંપૂર્ણ વિસ્તારને ઢાંકે છે અને તેને નિતંબોની આસપાસ બાંધવા માટે એક પટ્ટી હોય છે. ખાતરી કરો કે અહીં વપરાતા પાવડર કપુરમાં કરબલાની માટી ન હોય. 
  • ફક્ત પુરુષો માટે: 
  • અમામા: આ કપડાનો ટુકડો છે જે એક વાર માથાની ફેરમાં લપેટાયેલો હોય છે અને તેના બે છેડા છાતી પર મૂકવામાં આવે છે. 
  • ફકત સ્ત્રીઓ માટે: 
  •  ઓઢણી: આ કપડાનો એવો ટુકડો છે જે માથા અને ગરદનને ઢાંકે એટલો મોટો હોય છે. 
  • ઉપરના છાતીનું આવરણ : આ કપડાનો ટુકડો છે જે છાતીના સમગ્ર વિસ્તારની ફેરમાં લપેટાયેલો હોય છે. 

કફન સંબંધિત સારા માનવામાં આવેલા  રિવાજો : 

  • એ સારું માનવામાં આવે છે કે વ્યક્તિએ તેના જીવનકાળ દરમિયાન જ તેના પોતાના કફન, બેરના પાંદડા અને કપૂરની વ્યવસ્થા કરી રાખવી. 
  • વાજિબે એહતિયાત એ છે કે કફનના ત્રણેય ફરજિયાત ટુકડા એટલા પાતળા ન હોવા જોઈએ કે તેમાંથી મય્યતના અવયવો દેખાઈ જાય. જો કે, જો ટુકડા એવા હોય કે ત્રણેય મળીને મય્યત દેખાતી અટકાવે, તો તે પૂરતું ગણાશે. 
  • કફનનું કપડું સફેદ હોય તે સારું માનવામાં આવે છે. રેશમના કપડામાં મય્યતને કફન ચઢાવવું જાએઝ નથી અને વાજિબે એહતિયાતની આધારે, કપડું સોનાના તાર સાથે વણાટવામાં આવેલું ન હોવું જોઈએ. જો કે, જો કોઈ બીજો વિકલ્પ ઉપલબ્ધ ન હોય તો આનો ઉપયોગ કરવામાં કોઈ હરકત નથી. 
  • જો મય્યતનું કફન નાપાક થઈ જાય, તો તેને સંપૂર્ણપણે બદલવું વાજીબ છે. જો તે બદલી શકાતું ન હોય, તો નાપાક ભાગને ધોઈ નાખવો અથવા કાપી નાખવો જરૂરી છે, ભલે તે મય્યતને કબરમાં મૂક્યા પછી જ શા માટે ન થયું હોય. 
  • જો ઉપલબ્ધ હોય તો, ઝાડની બે તાજી લીલી ડાળીઓ, જેના પર કલમો લખેલો હોય અને જેને જરીદતૈન કહેવામાં આવે છે, તે મય્યત સાથે કબરમાં રાખવુ.. 

વધારે માર્ગદર્શન માટે, આયતુલ્લાહ સિસ્તાનીની તૌઝીહુલ મસાઈલનો સંદર્ભ લો. 

કફન શરીર પર ચઢાવ્યા પછી, શરીરને એવી રીતે રાખવું જોઈએ કે જમણો ખભો કિબલા તરફ હોય. 

પુરુષ મય્યતને કફન ચઢાવવાની પદ્ધતિ અને પ્રક્રિયા સ્ત્રી મય્યતને કફન ચઢાવવાની પદ્ધતિથી થોડી અલગ હોય છે.