(૪૮) નમાઝની કુનૂતમાં પઢવાની દુઆ

 

 

 

(૪૮) નમાઝની કુનૂતમાં પઢવાની દુઆ
(સુરા નં ૨ બકરહ આયત ૨૦૧)

رَبَّنَآ ءَاتِنَا فِى ٱلدُّنْيَا حَسَنَةً وَفِى ٱلْـَٔاخِرَةِ حَسَنَةً وَقِنَا عَذَابَ ٱلنَّارِ

રબ્બના આતેના ફિદુન્યા હસનતંવ વ ફીલ આખેરતે હસનતંવ વકેના અઝાબન્નાર

અય અમારા પરવરદિગાર! દુનિયામાં અમને નેકી અતા કર તથા આખેરતમાં પણ અમને નેકી અતા કર અને અમને જહન્નમની આગના અઝાબથી બચાવ.

(સુરા નં ૨ બકરહ આયત ૨૦૧)

 

 

 

જિંદગી દુનિયાની હોય કે આખેરતની ભલાઈ અને ખુશહાલી બંને જગ્યાએ માગવી જોઈએ. ભલે એક સાચો મુસલમાન દુનિયાની જિદંગી કરતાં આખેરતની જિંદગીને વધુ મહત્ત્વ આપે છે. પરંતુ આપણે આ દુનિયામાં પણ રહેવાનું છે. અલ્લાહના કાયદા-કાનૂન મુજબ જીવન ગુજારવાનું છે. જે કાનૂનો આપણી જ ભલાઈ માટે બનાવવામાં આવ્યા છે. તેથી બંને જહાંનની ભલાઈ માટે હંમેશા દુઆ કરતા રહેવું જોઈએ.
નમાઝની દરેક કુનુતમાં તથા કાબતુલ્લાહુનો તવાફ કરતાં કરતાં પણ આ દુઆ પઢવી જોઈએ.